ફેસબૂક પર ની એક પોસ્ટ કે જેને મને ખુબ જ વિચારવા મજબુર કરી. એક ૩૪ વર્ષીય સ્ત્રી કે જેને આખરે એનો પતિ મળ્યો એને ખુબ જ હિમ્મત થી સમાજ ની પરવા કાર્ય વગર એક પોસ્ટ કરી જેમાં તેને લખ્યું કે ઘણી આત્મહત્યા ખરેખર ખૂન છે અને ઘણા માનસિક રોગ સમાજ ની ભેટ છે. એ સમજાવતા તેને પોતાનું ઉદાહરણ સામે મૂક્યું અને જણાવ્યું કે હું ૩૪ વર્ષ સુધી અપરિણીત રહી અને સમાજે તથા મારા સાગા સંબંધીઓ એ એ તમામ કોશિશ કરી કે જે મને મારવા મજબુર કરે. મારા અને મારા પરિવાર પ્રત્યે સહાનુભૂતિ ભરી નજર, મારા ચારિત્રય તથા મારા પર શંકા સાથે કટાક્ષ બાવુ જ સામાન્ય થયી ગયા હતા. ધીમે ધીમે એ સ્થિતિ આવી ગયી કે લોકો પોતાની પાર્ટી માં પણ મને નહોતા બોલાવતા કારણકે પતિ વગર મારુ કોઈ વજૂદ નહોતું. કોઈ જગ્યાએ હાજરી આપું તો પણ જાણે મારુ અસ્તિત્વ મારા માં-બાપ માટે જોખમ રૂપ હોય તેવો વ્યવહાર કરવામાં આવતો. કોઈ એ જાણવાની દરકાર નહોતું કરતુ કે શું ચાલી રહ્યું છે મારા જીવન માં, હું ખુશ છું કે નહિ. બસ સમાજ અને સંબંધીઓ પુરા દિલથી તક નો લાભ ઉઠાવી રહ્યા હતા સહાનુભૂતિ ના નામે. અંતે મને એક એવો વ્યક્તિ મળ્યો કે જે મારી હાલત સમજી શક્યો, મારા પ્રેમ ને સમજ્ય...
દિવ્ય ભાસ્કર ની બ્લેક બોર્ડ સિરીઝ મારી દ્રષ્ટિએ ખુબ જ સારી શરૂઆત છે. આજ ના લેખમાં યુવાન દીકરીઓના મરજી વિરુદ્ધ લગ્ન અને બોજ રૂપ ગણી હંમેશા અનાદર કરવાની માનસિકતા ને ઉજાગર કરે છે. આ દીકરીઓ નર્ક સમાન યાતનાઓથી પસાર થાય છે, ફક્ત તેમના માતા પિતા ના કારણે. વસ્તી વધારા પાર અંકુશ અને માતા પિતા ના દરેક નિર્ણય નો સહજ આદર . .... આ બંને બાબતો પર અંકુશ ની માંગ કરે છે આ લેખ. તમારા મંતવ્ય જણાવા વિનંતી . https://www.divyabhaskar.co.in/dvb-original/news/age-when-her-husband-beat-her-felt-that-this-131272062.html
આજની પેઢી ના દરેક માતા પિતા ની એવી ઈચ્છા હોય છે કે તેમનું સંતાન આજ ની હરીફાઈ ના યુગમાં કદમ થી કદમ મિલાવીને ચાલે અને હોવી પણ જોઈએ . તેમાં કઈ જ ખોટું નથી પરંતુ ઈચ્છાઓને સંતોષવા પોતાનો વારસો , પોતાની ઓળખને ભૂલી જવી કેટલી યોગ્ય ? આજ વાત પાર કેટલાય વડીલો હાલમાં પસ્તાવો રહ્યા છે . વિશ્વ ગુજરાતી દિવસની હમણાં ઉજવણી કરવામાં આવી અને આજના યુગ માં પણ પોતાના સંતાનોને ગુજરાતી માધ્યમમાં મુકવા બદલ કેટલાક માતા પિતાના વિચાર જાણવામાં આવ્યા . એક વાલીએ ખુબજ સરસ જવાબ આપ્યો - " મારુ સંતાન પેહલા એની શુ ઓળખ છે એ તો જાણે પછી એને પુરી દુનિયા વિશે જાણવાની છૂટ છે . એમને જણાવ્યું કે જેને પોતાનો જ પાયો ખબર નથી એ બીજી સંસ્કૃતિ જાણવા કેટલું સક્ષમ હશે ? એ અવ્વલ તો નહિ જ રહી શકે . એ જ રીતે જેને પોતાની જ ભાષા બોલવામાં પ્રયત્ન કરવો પડે છે કે શરમ છે તે વળી બીજી ભાષા તો ફક્ત પોતાનું માન સંતોષવા જ શીખવાનો ને , એની કોઈ બીજી તમન્ના ના હોઈ શકે . ...
Comments
Post a Comment