Posts

Showing posts from 2018

સલામતી કે સજા ..!!!

ઘણી બધી એવી લાયબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી ઈન્સ્ટીટ્યૂટ છે જે પોતાના કેમ્પસ માં nuisance  રોકવા માટે છોકરીઓને ૮ વાગ્યા પછી પ્રવેશ આપતા નથી.  આ વાત પ્રત્યે મને કોઈ ઓબ્જેકશન નહોતું જ્યાં સુધી કારણકે મને આવી પરીક્ષાની તૈયારી કરતી છોકરીઓ સાથે કોઈ મુલાકાત થયી નહોતી. પણ હાલમાં જ આવી ૫-૬ છોકરીઓ સાથે મુલાકાત થયી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે. હોસ્ટેલ માં રહે છે અને ૮-૧૦ કલાક નું વાંચન  જરૂરી  છે. હોસ્ટેલ માં એક રૂમ માં ૫-૬ છોકરીઓ ભેગી હોવાથી વાંચી શકાતું નથી. ઈન્સ્ટિટ્યૂટ ૫ minute  ની જ દુરી પર છે અને ૨૪ કલાક ની લાયબ્રેરી ની સુવિધા ધરાવે છે. છોકરાઓ તેનો પૂરો ઉપયોગ કરે છે. મોટા ભાગે રાતે વાંચન કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય છે. પરંતુ છોકરીઓ આ લાયબ્રેરી ની સુવિધાનો ઉપયોગ કરી શકતી નથી  કારણકે છોકરાઓ નું ધ્યાન ભટકી શકે છે અથવા સંસ્થા ને સમાજ નો ભય  છે કે સલામતી ની ચિંતા છે પણ આ બધી જ બાબતો માં નુકસાન કોનું છે અને સહન કોને કરવું પડે છે.!!! અમુક વખતે બાવુ જ સામાન્ય લાગતી બાબતો કોઈની જિંદગી ની સૌથી મોટી મુશ્કેલી બની જતી હોય છે અને સમાજ ની વિચારધારા કેવી રીતે બા

સ્ત્રી શસક્તિકરણ પુરુષ ની મદદ વગર શક્ય જ નથી..!

હજુ આજે પણ મોટા ભાગના પુરુષો ઘર કામ માં મદદ કરવા કોઈ કાળે તૈયાર થતા નથી. (ખાસ કરીને મઘ્યમ વર્ગીય પુરુષો. ધનવાન માણસો પાસે જો કે નોકર ચાકર ની સગવડ હોવાથી સ્ત્રીઓ ને સમય મળી રહે છે.) ઘરકામ માં મદદ કરવી , અરે સામાન્ય કામ જેવા કે શાક લઇ આપવું, લોટ દળવા આપી આવવો કે કરિયાણું લાવી એવું એ પણ અતિ શરમજનક કર્યો માં આવે છે પુરુષો માટે.  હવે જયારે આપણે અમેરિકા જેવા દેશ સાથે હરીફાઈ કરી રહ્યા છે, ત્યાં જવા ઉતાવળા થયી રહ્યા છે  ત્યારે  થોડું શિક્ષિત થવું , સમાજ અને સમય સાથે તાલ મિલાવવો જરૂરી છે.  આજ યુવાનો વિદેશ માં જઈને સમય સાથે તાલ મિલાવે છે. પત્ની ને સાથ આપે છે અને સાથે મળીને આગળ વધીને સારી રીતે ઘર ચલાવે છે તથા એક બીજાને સહકાર આપે છે., મતલબ ખામી વડીલો ના સંસકાર  માં અને અહીં ના સમાજ ની માનસિકતા માં છે.  શું આ માટે સ્ત્રીઓ પોતે જવાબદાર નથી? સ્ત્રી શસક્તિકરણ ની વાતો કરતી સ્ત્રીઓ જયારે પોતાના જ ઘર ની સ્ત્રીને નીચે લાવવાની કોશિશ કરે, પોતાના દીકરાને સંસકાર ના નામે પત્ની ને કાબુ માં રાખવાની વાત શીખવાડે તો ક્યાંથી સંભવ થાય શસ્ક્તિકરણ અને કયી રીતે થાય સમાનતા અને ક્યાંથી થાય અમેરિકા સાથે હરીફાઈ..!!! સ

દીકરી

Image
નામ -   કોઈ પણ રાખો, શું ફરક પડે છે? જન્મ - દીકરી તરીકે જે જન્મથી માં બાપ ને લગ્નના ખર્ચ ની ચિંતા માં પાડી દેઈ છે. ઉંમર -  કોઈ પણ આંકડો ધારી લો. સરનામું- પહેલા બાપનું ઘર              પછી પતિનું              ભવિષ્યમાં દીકરાનું ઘર જો તે રાખશે તો              કે પછી કદાચ ઘરડાઘર વિશેષતા - બાપની દ્રષ્ટિએ તેજસ્વી અને સંસ્કારી દીકરી                 મા ની દ્રષ્ટિએ સમજુ                સાસુની દ્રષ્ટિએ આવડત વિનાની                વરની દ્રષ્ટિએ ખર્ચાડ                દીકરાની દ્રષ્ટિએ રહેવા દે તને કંઈ                 ખબર નહીં પડે                પોતાની દ્રષ્ટિએ ખબર નથી  કાર્યાનુભવ - ઘરકામ,                   રસોડું,                  ઝાડુ પોતા,                  કપડા- વાસણ,                  ઘર વાળાઓને સંભાળવા બાળકો - નંગ બે (તેમને જન્મ,              ઉછેર, ભણતર, ગણતર              વગેરે વગેરે) માંદગીમાં ને પરીક્ષા વખતે ઉજાગરા કરવા.. વળતર - તે શું કર્યું એવો સવાલ આવક - પતિ અને બાળકો આપે તે બચત - ઘર વપરાશ માંથી બચે તે જરૂરિયાત - બે ટ

જમાનો બદલાતા વાર કેમ લાગે છે? સ્ત્રી શસક્તિકરણની જરૂર કેમ વધતી જાય છે?

જમાનો બદલાતા વાર કેમ લાગે છે? સ્ત્રી શસક્તિકરણની જરૂર કેમ વધતી જાય છે? ઘણી સ્ત્રીઓ, ખાસ કરીને એવી સ્ત્રીઓ કે જેને પગ પાર ઉભા રેહવાની ધગશ રહેલી હોય છે છતાં કઈ સાકાર થતું નથી, ફક્ત સમાજ ના રિવાજો અને પરંપરાઓ ને કારણે.. અને જે કારણો મોટા ભાગે જોવા મળે છે એ હોય છે.. છોકરીઓ પ્રત્યે ઘર તરફથી જ ઓછું ધ્યાન આપવુ, ખાસ કરીને career  બાબતે. ભણવા માટે પ્રોત્સાહિત કરવું પરંતુ લગ્ન જ મુખ્ય ધ્યેય હોવો લગ્નમાં તો જે સાસરી વાળા કહે એ માનવું જ એવી મુખ્ય શિખામણો અને ઘર કરીને રેહવાની ખાસ ટકોર લગ્ન બાદ ના બંધનો  તથા નાહકના રિવાજો અને બંધનો ચાલો માની લીધું કે આ છે પણ એક વાર વિચારો કે કોઈ પણ સ્ત્રી મનથી ધારી લે કે આ રીત તે પોતાની દીકરી અને પુત્રવધુ સાથે નહિ થવા દે તો જમાનો ત્યાંથી જ સુધારવા માંડે છે પરંતુ સ્ત્રી આમ વિચારવાને બદલે પુત્રવધુ સાથે એવી હરીફાઈ કરે છે કે "મેં એટલું ભોગવ્યું તો એ કેમ ના ભોગવે..!" એને શુ કરવા વધારે સગવડ મળે...!   આવી સ્ત્રીઓ જ સમાજ ની સાચી દુશ્મન છે. ઘણી સ્ત્રીઓ દીકરીઓ ને પણ એવી જ શિખામણ આપે છે કે ઘર કરીને રહેવાનું, કઈ પણ થાય સાસરી માં તો સહન કરવાનું એમ કઈ ઘડી

સ્વતત્રતા પર તરાપ મારવાથી કોઈ વ્યક્તિ પોતાની થઇ શક્તિ નથી. પ્રેમ એ સ્વતંત્રતા, વિશ્વાસ અને આદર નું બીજું નામ છે

આજે અચાનક જ ધર્મ અને કર્મ એટલે  શુ એનું પૂરું ચિત્ર સામે આવી ગયું.  જમાનો મોડર્ન થતો જાય છે. સંસકાર  શબ્દ પાર એટલો ભાર મુકવામાં આવે છે જાણે કે અમુક લોકો ની સંપત્તિ હોય એ.  પણ શું આ મોડર્ન યુગ માં ખરા અર્થ માં સંસ્કાર  ,  ધર્મ અને કર્મ નો અર્થ રહ્યો છે..!!   ધર્મ અને ગીતા જણાવે છે સંયમ , ચારિત્રય , સન્માન, દયા , ક્ષમા અને સાથે સાથે દ્રઢતા , વિશ્વાસ , ધીરજ અને પ્રેમ ની સૌંહિં પરિભાષા શીખવાડે છે પણ આજે કેટલા લોકો માં આ ગન જોવા મળે છે..!! સંયમ , ચારિત્રય અને પ્રેમ ને તો કૈક નવું જ રૂપ આપવામાં આવ્યું છે અને ધર્મ માં માનનારા ને જુનવાણી માનવામાં આવે છે. તો એ વાત તો સાફ છે કે અપને જેને અનુસરીએ છે એ છે રીતિ રિવાજ  નહિ  કે ધર્મ. જેમાં સુધારા ની સતત જરૂર છે . કારણ કે શ્રી કૃષ્ણ એ પણ સંદેશ આપ્યો છે કે દરેક મનુષ્યએ સમય પ્રમાણે પોતાના વિચારો ને બદલવા જ પડશે.   સમય પ્રમાણે પહેરવેશ , સ્વતાંત્રતા તથા પરંપરા માં બદલાવ થાય એ સ્વાભાવિક છે પણ સંસ્કારના pillar  સંયમ , ચારિત્રય , સન્માન અને પ્રેમ ત્યાંજ હયાત રહે તો કોઈ જ ચિંતા ની આવશ્યકતા નથી.  એક અલ્ટ્રા મોડર્ન યુવક કે યુવતી પણ સંસકાર માં અવ્વલ સાબિત થાય